-
એક સમયે આજુબાજુના તેર ગામોનું પાણી તાલોદગામના તળાવમાં એકઠું થતું એટલે તેરોદ નામે જાણીતું થયું અને તેરોડ માંથી તાલોદ નામ પડ્યું તેવી દંતકથા છે.
તાલોદ તાલુકો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની દક્ષિણ દીશામાં આવેલ છે. પ્રાંતિજ તાલુકામાંથી સને ૧૯૯૭માં તાલુકા/જિલ્લા વિભાજન વખતે પ્રતિજ તાલુકા માંથી વિભાજીત કરી તાલુકો બનેલ છે. આ તાલુકા માં મોટા ભાગની ૮૦% બક્ષીપંચ જ્ઞાતિની વસ્તી છે. અને મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી છે.
-
તલોદ ગ્રામ પંચાયતનીસ્થારપના તા. ૨૦-૦૩-૧૯૫૧ થી થયેલ અનેતા. ૧૫-૦૩-૧૯૭૫ થી ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયતમાં રૂપાંતર થયેલ ત્યા૯ર બાદ દેશના ૭૪ માંબંધારણીય સુધારાના આદેશ મુજબ ગુજરાતમાં નગર પંચાયતોને પણ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઇઓ ૧૫ મી એપ્રિલ ૧૯૯૪ થી લાગું કરવામાં આવતાં વસતીના ધોરણે તલોદ નગર પંચયાતનું તા. ૧૫-૦૪-૧૯૯૪ થી નગરપાલિકામાં રૂપાંતર થયેલ છે.
-
આ તાલુકાની જમીન માટી અને રેતીની સમતલ છે.
આ વિસ્તારમાં થયેલ ભૌગોલિક પરિવર્તનો.
ખાડલો :- તાલુકામાં કોઈ ખાદલો આવેલા નથી.
તાલુકા શહેરની ભૌગોલિક સ્થિતિ જોતા ખેતી માટે ખુબ જ સારો અવકાશ છે કારણ કે મોટા ભાગની જમીન સમતલ માટી અને રેતીની હોવાથી પાક પરિસ્થિતિ માટે સાનુકુળ છે.મધ્યમ અંદ વધારે વરસાદને કારણે આ વિસ્તારમાં હરિયાળી જણાઈ આવે છે.
અહીની મોટાભાગની વસતિ વેપારના વ્યવસાયમાં રોકાયેલ છે.
-
તલોદ નગરપાલિકાની વસ્તી ગણતરી મુજબ વસ્તીનુંધોરણઃ
૧. સને ૧૯૭૧ ની વસતી ગણતરી મુજબ વસ્તી૧૦૯૩૫
૨. સને ૧૯૮૧ ની વસતી ગણતરી મુજબ વસ્તી૧૨૮૯૮
૩. સને ૧૯૯૧ ની વસતી ગણતરી મુજબ વસ્તી૧૫૧૯૭
૪. સને ર૦૦૧ ની વસતી ગણતરી મુજબ વસ્તી૧૭૪૭૨. જેમાં પુરૂષઃ ૯૧૪૧ સ્ત્રીઃ ૮૩૩૨
જે પૈકી અનુ.જાતિની વસ્તીઃ૧૦૮૩ ( પુરૂષોઃ૫૭૬,સ્ત્રીઓઃ ૫૦૭ )
-
પાયાના શિક્ષણથી શરૂ કરી કોલેજ સુધીના અભ્યાસની સુવિધા તેમજ પી.ટી.સી. કોલેજ, ફાર્મસી કોલેજ, બી.એઙ કોલેજ,
એસ.ટી. રેલ્વે, ટેલિફોન,વીજળી, લાઇટપાણી, ખાનગી તથા સરકારી હોસ્પીધટલ.
નગરપાલિકા ધ્વારા ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ વાન વિગેરેની સુવિધા પુરી પાડવામાં આવે છે.